ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 28, 2025 9:13 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતના સાર્વભૌમત્વ પર હુમલો કરાશે તો તેનો કેવો જવાબ અપાશે તે ભારતે ઓપરેશન સિંદૂરથી વિશ્વને બતાવી દીધું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જો ભારતના સાર્વભૌમત્વ પર હુમલો કરાશે તો તેનો કેવો જવાબ અપાશે તે ભારતે ઓપરેશન સિંદૂરથી સમગ્ર વિશ્વને બતાવી દીધું છે. આ કાર્યવાહીએ દેશમાં આત્મવિશ્વાસની નવી ભાવના જગાવી છે. તમિલનાડુના ગંગાઈકોંડા ચોલાપુરમ ખાતે ચોલ રાજા રાજેન્દ્ર ચોલા-પ્રથમની જન્મજયંતિની ઉજવણી કાર્યક્રમમાં સંબોધતા તેમણે વાત કહી હતી.પ્રધાનમંત્રીએ આગામી સમયમાં ચોલ સમ્રાટ રાજરાજા ચોલા અને રાજેન્દ્ર ચોલા- પ્રથમની ભવ્ય પ્રતિમાઓ બનાવાની પણ જાહેરાત કરી. શ્રી મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા વિશ્વભરમાંથી પરત લવાયેલી 30થી વધુ પ્રાચીન વસ્તુઓ તમિલનાડુની છે..