પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિઓ કાર્યક્રમની આ 124મી કડી હશે. હિન્દીમાં “મન કી બાત”ના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે.આકાશવાણી અને દૂરદર્શનના તમામ નૅટવર્ક, આકાશવાણી સમાચારની વૅબસાઇટ અને ન્યૂઝ ઑન A.I.R. મૉબાઇલ ઍપ્લિકેશન સહિત આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, PMO તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ-ટ્યૂબ ચેનલ પર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે.
Site Admin | જુલાઇ 27, 2025 8:58 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્ર્સારીત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે
