પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે 2047 સુધીમાં ભારતનો વિકસિત રાષ્ટ્ર બનવાનો સંકલ્પ વૈશ્વિક ચર્ચાઓનું કેન્દ્ર છે, જે માળખાગત સુવિધાઓમાં મોટા પાયે પરિવર્તનને કારણે છે. શ્રી મોદીએ ગઈકાલે પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં 5 હજાર 400 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રદેશના માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવા અને આર્થિક વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.શ્રી મોદીએ ભારતમાં થઈ રહેલા પરિવર્તનશીલ ફેરફારો વિકસિત ભારતનો પાયો નાખી રહ્યા હોવાનું જણાવ્યું હતું છે. આ ફેરફારોનું એક મુખ્ય પાસું સામાજિક, ભૌતિક અને ડિજિટલ ક્ષેત્રો સહિત માળખાગત સુવિધાઓ છે. શ્રી મોદીએ છેલ્લા દાયકામાં સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો.પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતના કારખાનાઓ અથવા ખેતીમાં દરેક પ્રયાસ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પથી પ્રેરિત છે. શ્રી મોદીએ સરકારના આગળના માર્ગની રૂપરેખા આપી, જેમાં વિકાસ દ્વારા સશક્તિકરણ, રોજગાર દ્વારા આત્મનિર્ભરતા અને જવાબદારી દ્વારા સુશાસનનો સમાવેશ થાય છે.આ અગાઉ પ્રધાનમંત્રીએ બિહારના મોતીહારીમાં 7 હજાર 200 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
Site Admin | જુલાઇ 19, 2025 7:53 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે 2047 સુધીમાં ભારતનો વિકસિત રાષ્ટ્ર બનવાનો સંકલ્પ વૈશ્વિક ચર્ચાઓનું કેન્દ્ર છે