પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. શ્રી મોદી આજે બિહારના ચંપારણ જિલ્લાના મોતીહારી ખાતે 7,200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરશે. આ વિકાસ પ્રોજેક્ટ્સ રેલ, માર્ગ, ગ્રામીણ વિકાસ, મત્સ્યઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રો સાથે સંબંધિત છે. પ્રધાનમંત્રી ચાર નવી અમૃત ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે જે બિહારના મહત્વપૂર્ણ શહેરોને અન્ય ભાગો સાથે જોડશે.પ્રધાનમંત્રી અનેક રેલ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. શ્રી મોદી પરિયાથી મોહનિયા રોડના ચાર-લેન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.
બિહારમાં મત્સ્યઉદ્યોગ અને જળચરઉદ્યોગ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે
શ્રી મોદી દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ બિહારમાં ૬૧ હજારથી વધુ સ્વ-સહાય જૂથોને ૪૦૦ કરોડ રૂપિયા ફાળવશે. તેઓ પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ ૨૦૦૦ લાભાર્થીઓને ઘરની ચાવીઓ સોંપશે અને ૪૦૦૦૦ લાભાર્થીઓને ૧૬૦ કરોડ રૂપિયાથી વધુનું ભંડોળ ફાળવશે.તેઓ મોતીહારીના ગાંધી મેદાનમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.
શ્રી મોદી પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં 5000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આમાં તેલ અને ગેસ, વીજળી, રેલ અને રોડ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. શ્રી મોદી દુર્ગાપુરમાં એક રેલી પણ કરશે.
Site Admin | જુલાઇ 18, 2025 7:58 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ,ઉદ્ઘાટન કરશે