પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિમાન દુર્ઘટનામાં અસરગ્રસ્ત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. શ્રી મોદીએ આજે સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી અને એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા હતા. બાદમાં, સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમદાવાદમાં થયેલી હવાઈ દુર્ઘટનાથી દેશ ખૂબ જ દુઃખી છે. અચાનક જ હૃદયદ્રાવક થયેલા અકસ્માતમાં આટલા બધા લોકોનાં મોત અંગે તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. શ્રી મોદીએ કહ્યું કે, સરકાર તેમનું દુઃખ સમજે છે.
પ્રધાનમંત્રીએ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના ઇજાગ્રસ્તોની પણ મુલાકાત લીધી હતી અને તેમના ખબર અંતર પૂછ્યા હતા. અકસ્માતમાં બચી ગયેલા એકમાત્ર મુસાફર અને ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક વિશ્વાસકુમાર રમેશને પણ પ્રધાનમંત્રી મળ્યા, તે હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. શ્રી રમેશે તેમના આબાદ બચાવ અંગેના અનુભવ અંગે વાત કરી હતી.
(S/B વિશ્વાસકુમાર રમેશ)
શ્રી મોદીએ વિમાન દુર્ઘટના સ્થળની પણ મુલાકાત લીધી અને કહ્યું કે વિનાશનું દ્રશ્ય હૃદયદ્રાવક છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેઓ અધિકારીઓ અને વિવિધ રાહત અને બચાવ ટીમને મળ્યા. તેઓ અથાક મહેનત કરી રહ્યા છે.
,,2,,
…2..PM – GUJARAT VISIT
શ્રી મોદીએ કહ્યું કે, આ અકલ્પનીય દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું અને ઈશ્વર આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે પ્રાર્થના કરું છું.
બાદમાં, શ્રી મોદીએ અમદાવાદમાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સદગત શ્રી વિજય રૂપાણીના પરિવારના સભ્યોને પણ તેઓ મળ્યા હતા અને આ દુખદ દુર્ઘટના અંગે સાંત્વના પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે સદગત શ્રી વિજય રૂપાણીના પત્ની અંજલિબેન આ સમાચાર મળતાં જ લંડનથી અમદાવાદ આવી પહોંચ્યા છે અને સદગતના પુત્ર પણ અમદાવાદ આવવા નીકળી ગયા છે.
અમારા સંવાદદાતાના અપર્ણા ખૂંટના અહેવાલ મુજબ વિમાન દુર્ઘટનામાંથી ઓળખાયેલા મૃતદેહોને પોસ્ટમોર્ટમ પછી સંબંધીઓને સોંપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં છ મૃતદેહો પરિવારના સભ્યોને સોંપવામાં આવ્યા છે.