ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 27, 2025 6:50 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘ભારતે આતંકવાદને નેસ્તનાબૂદ કરવાનો નિર્ણય કરી લીધો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક કહ્યું, ‘આતંકી પ્રવૃત્તિઓ હવે પ્રૉક્સી વૉર નહીં, પણ આયોજનબદ્ધ વ્યૂહરચના છે. તેથી તેનો જવાબ પણ એ જ રીતે અપાશે. ભારતે આતંકવાદને નેસ્તનાબૂદ કરવાનો નિર્ણય કર્યો છે અને આ માટે દેશ કટિબદ્ધ છે.ગાંધીનગરમાં શહેરી વિકાસ વર્ષના 20 વર્ષની ઉજવણીના સમારોહનો આજે પ્રારંભ કરાવતા શ્રી મોદીએ ‘ઑપરેશન સિંદૂર’ને ‘વૉકલ ફૉર લૉકલ’ સ્વરૂપે લોકો સુધી પહોંચાડવા અને વિકસિત ભારત 2047ના લક્ષ્યને સિદ્ધ કરવા દેશવાસીઓને આહ્વાન કર્યું.શ્રી મોદીએ કહ્યું, ‘ઑપરેશન સિંદૂર અંતર્ગત માત્ર 22 મિનિટમાં જ પાકિસ્તાનમાં આવેલા નવ આતંકી ઠેકાણા ધ્વસ્ત કરાયા. આ તમામ કાર્યવાહી કૅમેરાની સામે કરવામાં આવી.શ્રી મોદીએ શહેરી વિકાસની યાત્રા અંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી આવનારી પેઢી માટેની વ્યૂહરચના તૈયાર કરી છે. પ્રધાનમંત્રીએ વર્ષ 2035માં ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થશે ત્યારે તેની વ્યૂહરચના અત્યારથી તૈયાર કરવા પણ જણાવ્યું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ