પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પાંચ હજાર 536 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં શહેરી વિકાસ, માળખાગત સુવિધાઓ, જળ સંસાધન વ્યવસ્થાપન, આરોગ્યસંભાળ અને મહેસૂલ સેવાઓ સહિતના મુખ્ય પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી મોદી આજે ગાંધીનગરમાં ગુજરાત શહેરી વિકાસની 20મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત એક ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી આ પહેલનો ઉદ્દેશ્ય શહેરી રહેવાસીઓના જીવનની ગુણવત્તામાં સુધારો કરીને આયોજિત માળખાગત સુવિધાઓ, પારદર્શન વહીવટ દ્વારા ગુજરાતના શહેરી દૃશ્યને બદલવાનો હતો.
આ પ્રસંગે પ્રધાનમંત્રી ગુજરાતમાં શહેરી વિકાસ માટેનો નવો રોડમેપ – શહેરી વિકાસ વર્ષ-2025 જારી કરશે. શ્રી મોદી હવાની ગુણવત્તા સુધારવા અને ટકાઉ શહેરી જીવનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતની શહેરી વિકાસ યોજના અને રાજ્ય સ્વચ્છ હવા કાર્યક્રમનો પણ પ્રારંભ કરાવશે.
અમારા સંવાદદાતાનો એક અહેવાલ સાંભળીએ…
(બાઈટ – અપર્ણા ખુંટ)
દરમ્યાન પ્રધાનમંત્રી ગઈકાલે બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. શ્રી મોદીએ ગઈકાલે સાંજે ભુજમાં 53 હજાર 400 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. અગાઉ, પ્રધાનમંત્રીએ દાહોદમાં 24 હજાર કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. શ્રી મોદીએ દાહોદમાં રેલ એન્જિન ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું. આ પ્લાન્ટ સ્થાનિક હેતુઓ અને નિકાસ માટે 9000 હોર્સપાવર ઇલેક્ટ્રિક લોકોમોટિવનું ઉત્પાદન કરશે. તેમણે પ્લાન્ટમાંથી ઉત્પાદિત પ્રથમ ઇલેક્ટ્રિક એન્જિનને પણ લીલી ઝંડી આપી હતી.
Site Admin | મે 27, 2025 10:08 એ એમ (AM) | Gandhinagar | narendra modi
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરથી વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહુર્ત કરશે
