પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના દાહોદમાં 24 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. શ્રી મોદીએ રેલવેના લોકોમોટિવ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું. આ પ્લાન્ટ સ્થાનિક અને નિકાસ માટે નવ હજાર હૉર્સપાવરના ઇલેક્ટ્રિક લોકોમોટિવનું ઉત્પાદન કરશે.
શ્રી મોદીએ આ પ્લાન્ટમાં તૈયાર થયેલા ઇલેક્ટ્રિક લૉકોમોટિવને લીલીઝંડી બતાવી. લૉકોમોટિવ રેલવેની માલવાહક ક્ષમતા વધારવામાં મદદરૂપ થશે. આ લૉકોમોટિવ પુનઃઉત્પાદિત બ્રેકિંગ પ્રણાલિઓથી સુસજ્જ હશે. તથા તેને ઊર્જા વપરાશને ઘટાડવા ડિઝાઈન કરવામાં આવી રહ્યું છે. આ પર્યાવરણની સ્થિરતાને જાળવી રાખવામાં પણ મદદરૂપ થશે. દરમિયાન શ્રી મોદીએ અમદાવાદ-સાબરમતીથી ગિરસોમનાથ વેરાવળ વંદે ભારત ટ્રેનને પણ લીલીઝંડી ફરકાવી.
આ પ્રસંગે જનસભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, વર્ષ 2014માં આજના જ દિવસે મેં પ્રધાનમંત્રી પદના શપથગ્રહણ કર્યા હતા.
દરમિયાન શ્રી મોદી આજે કચ્છના ભુજમાં અંદાજે 53 હજાર કરોડ રૂપિયાથી વધુના 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
Site Admin | મે 26, 2025 2:38 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશનાં સૌ પ્રથમ લોકોમોટીવ એન્જિનને દાહોદથી રાષ્ટ્રને સમર્પિત કર્યું
