ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 26, 2025 2:38 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશનાં સૌ પ્રથમ લોકોમોટીવ એન્જિનને દાહોદથી રાષ્ટ્રને સમર્પિત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના દાહોદમાં 24 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. શ્રી મોદીએ રેલવેના લોકોમોટિવ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું. આ પ્લાન્ટ સ્થાનિક અને નિકાસ માટે નવ હજાર હૉર્સપાવરના ઇલેક્ટ્રિક લોકોમોટિવનું ઉત્પાદન કરશે.
શ્રી મોદીએ આ પ્લાન્ટમાં તૈયાર થયેલા ઇલેક્ટ્રિક લૉકોમોટિવને લીલીઝંડી બતાવી. લૉકોમોટિવ રેલવેની માલવાહક ક્ષમતા વધારવામાં મદદરૂપ થશે. આ લૉકોમોટિવ પુનઃઉત્પાદિત બ્રેકિંગ પ્રણાલિઓથી સુસજ્જ હશે. તથા તેને ઊર્જા વપરાશને ઘટાડવા ડિઝાઈન કરવામાં આવી રહ્યું છે. આ પર્યાવરણની સ્થિરતાને જાળવી રાખવામાં પણ મદદરૂપ થશે. દરમિયાન શ્રી મોદીએ અમદાવાદ-સાબરમતીથી ગિરસોમનાથ વેરાવળ વંદે ભારત ટ્રેનને પણ લીલીઝંડી ફરકાવી.
આ પ્રસંગે જનસભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, વર્ષ 2014માં આજના જ દિવસે મેં પ્રધાનમંત્રી પદના શપથગ્રહણ કર્યા હતા.
દરમિયાન શ્રી મોદી આજે કચ્છના ભુજમાં અંદાજે 53 હજાર કરોડ રૂપિયાથી વધુના 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ