પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. 22મી એપ્રિલે પહલગામમાં આતંકવાદી હુમલા પછી ભારત દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશન સિંદૂરના પગલે શ્રી મોદી આ સંબોધન કરશે.
આજે બપોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી અમિત શાહ,વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકર,રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ,ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ,ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ તથા અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Site Admin | મે 12, 2025 6:47 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે 8 વાગ્યે દેશને સંબોધન કરશે.