પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51 હજારથી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે. શ્રી મોદી આ પ્રસંગે વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિત લોકોને પણ સંબોધિત કરશે. રોજગાર સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને, 15મો રોજગાર મેળો દેશભરમાં 47 સ્થળોએ યોજાઈ રહ્યો છે. જે યુવાનોને સશક્તિકરણ અને રાષ્ટ્રના વિકાસમાં અસરકારક યોગદાન માટે અર્થપૂર્ણ તક પૂરી પાડશે. નવનિયુક્ત યુવાનો કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં કામ કરશે.
Site Admin | એપ્રિલ 26, 2025 8:16 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 51 હજારથી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે
