ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી સ્થિત એઈમ્સની મુલાકાત લીધી હતી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી સ્થિત એઈમ્સની મુલાકાત લીધી હતી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. પ્રધાનમંત્રીએ તેમના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી હતી.
ઉપરાષ્ટ્રપતિ ધનખડને ગઈકાલે રાત્રે અસ્વસ્થતાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, શ્રી ધનખડની સ્થિતિ હાલમાં સ્થિર છે.