પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંતર-રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારી જિલ્લાના વાંસીબોરસી ગામમાં લખપતિ દીદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. શ્રી મોદી લખપતિ દીદીઓ સાથે સંવાદ પણ કરશે. દરમિયાન તેઓ પાંચ લખતપિ દીદીઓને લખપતિ દીદી પ્રમાણપત્રથી સન્માનિત કરશે.શ્રી મોદી રાજ્ય સરકારના કાર્યક્રમ જી-સફલ એટલે કે, આવક વધારવા માટે અંત્યોદય પરિવારોની ગુજરાત યોજના અને જી-મૈત્રી એટલે કે, ગ્રામીણ આવકમાં પરિવર્તન માટે જન-ગુજરાત મૅન્ટરશિપ અને એક્સિલરૅશન કાર્યક્રમનો પણ પ્રારંભ કરાવશે.
Site Admin | માર્ચ 8, 2025 11:09 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવસારીમાં લખપતિ દીદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
