ફેબ્રુવારી 23, 2025 8:08 એ એમ (AM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 119મી કડી હશે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નૅટવર્ક, આકાશવાણી સમાચાર વૅબસાઈટ અને ન્યૂઝ ઑન A.I.R. મૉબાઈલ એપ્લિકેશન પર કરાશે.
મન કી બાત કાર્યક્રમને આકાશવાણી સમાચાર, ડીડી ન્યૂઝ, PMO તેમ જ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ-ટ્યૂબ પર પણ પ્રસારિત કરાશે. હિન્દી પ્રસારણ બાદ તરત જ આકાશવાણી પર પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ થશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.