પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માને છે કે, સાચી પ્રગતિ માત્ર શૈક્ષણિક ઉત્કૃષ્ટતાથી જ નહીં પણ આંતરિક વૃધ્ધિથી આવે છે. તેમણે જણાવ્યું કે, સ્વ-જાગૃતિ અને સચેતન દ્વારા યુવાનો સ્પષ્ટતા, સ્થિતિસ્થાપકતા અને હેતુની મજબૂત ભાવના વિક્સાવી શકે છે. પરીક્ષા પે ચર્ચા 2025ની પાંચમી આવૃત્તિ વિદ્યાર્થીઓને મનના ચમત્કારથી અવગત કરાવે છે. પ્રસિધ્ધ આધ્યાત્મિક નેતા, સદગુરુએ શિક્ષણને રમતિયાળ બનાવવા અને સંતુલિત અને જીવંત મન કેળવવા પર આંતરદૃષ્ટિ રજૂ કરી. સદગુરુએ એકાગ્રતા વધારવા અને પરીક્ષામાં ઉત્કૃષ્ટતા મેળવવા માટે શક્તિશાળી મન વિક્સાવવાની તકનીકોની માહિતી આપી. તેમણે કહ્યું કે, શિક્ષણ માત્ર પરીક્ષા પૂરતું મર્યાદિત નથી. તેમણે વિદ્યાર્થીઓને તેમની બુદ્ધિમત્તાને ગતિશીલ સ્થિતિમાં રાખવા જણાવ્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 2:48 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માને છે કે, સાચી પ્રગતિ માત્ર શૈક્ષણિક ઉત્કૃષ્ટતાથી જ નહીં પણ આંતરિક વૃધ્ધિથી આવે છે.
