પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ ઉત્તરાખંડના દેહરાદૂન સ્થિત મહારાણા પ્રતાપ સ્ટેડિયમ ખાતે 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદ્ઘાટન કરશે. આકાશવાણીના દહેરાદુનના પ્રતિનિધીજણાવે છે કે, ઉદ્ઘાટન સમારોહ માટે કેન્દ્રીય મંત્રીઓ, ભારતીય ઓલિમ્પિક સંઘ અને રાષ્ટ્રીય ખેલાડીઓ સહિત વિવિધ મહેમાનોનુંઆગમન શરૂ થઈ ગયું છે. રાજ્યના રમતગમત મંત્રી રેખા આર્યએ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનનાપ્રમુખ પીટી ઉષાનું આજે દેહરાદૂન એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. 14 ફેબ્રુઆરી સુધી ચાલનારો રમતોત્સવ રાજ્યનાં 8 જિલ્લાનાં 11 શહેરોમાં યોજાશે. 35 રમતોમાં કુલ 47 સ્પર્ધા યોજાશે.
Site Admin | જાન્યુઆરી 27, 2025 7:28 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ ઉત્તરાખંડના દેહરાદૂન સ્થિત મહારાણા પ્રતાપ સ્ટેડિયમ ખાતે 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદ્ઘાટન કરશે
