ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો ૧૧૮મો એપિસોડ હશે.
આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝોનએર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. તેનું લાઇવ સ્ટ્રીમિંગ આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ કરવામાં આવશે. આકાશવાણી હિન્દી પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરશે.