ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 16, 2025 2:46 પી એમ(PM) | મન કી બાત

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે 19 જાન્યુઆરીએ આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે 19 જાન્યુઆરીએ આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે.માસિક રૅડિયો કાર્યક્રમની આ 118મી કડી હશે.આ કાર્યક્રમ માટે લોકો પોતાના વિચાર અને મંતવ્યો ટૉલ ફ્રી નંબર 1800-11-7800પર મોકલી શકે છે.શ્રોતાઓ નરેન્દ્ર મોદી ઍપ્લિકેશન અથવા તો માય જીઓવી ઑપન ફૉરમ પર પણ પોતાના વિચાર મોકલી શકશે.આ કડી માટેના વિચાર અને મંતવ્યો આવતીકાલ સુધી સ્વીકારવામાં આવશે.‘મન કી બાત’ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નૅટવર્ક પર પ્રસારિત કરાશે.આ AIR ન્યૂઝવૅબસાઈટ અને ન્યૂઝ ઑન AIR મૉબાઈલ ઍપ્લિકેશન પર પણ સાંભળી શકાશે.આ આકાશવાણી સમાચાર, ડીડી ન્યૂઝ, પ્રધાનમંત્રી કાર્યાલય તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ-ટ્યૂબ ચૅનલ પર પણ ઉપલબ્ધ રહેશે.આકાશવાણી પર હિન્દી પ્રસારણ બાદ તરત જ ‘મન કી બાત’ કાર્યક્રમનું પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારણ કરાશે.