પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રનાં દૂત તરીકે સેવા કરવા બદલ વિદેશમાં વસતા ભારતીયોની પ્રશંસા કરી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રનાં દૂત તરીકે સેવા કરવા બદલ વિદેશમાં વસતા ભારતીયોની પ્રશંસા કરી છે. આજે ઓડિશનાં ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદઘાટન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે તેઓ હંમેશા ભારતીય સમુદાયને ભારતનાં દૂત તરીકે માને છે.