પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મુખ્યસચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી રહ્યા છે. શુક્રવારથી શરૂ થયેલી આ પરિષદમાં પ્રધાનમંત્રી આજે સંબોધન કરશે.
આ પરિષદનો ઉદ્દેશ રાજ્યો સાથે મળીને એક સામાન્ય વિકાસ કાર્યસૂચિનું મૂલ્યાંકન અને અમલ કરવાનો છે. પરિષદનો ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્ય સરકારોની ભાગીદારીને મજબૂત કરવાનો અને સહકારી સંઘવાદ, ઝડપી આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં વધુ સારું સંકલન સુનિશ્ચિત કરવાનો છે. તેમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યસચિવો, વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે.
મુખ્ય સચિવોની પરિષદે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સારું સંકલન સ્થાપિત કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનની એક મોટી પહેલ છે. પરિષદની મુખ્ય વિષયવસ્તુ એન્ટરપ્રેન્યોરશિપ, એમ્પ્લોયમેન્ટ એન્ડ સ્કિલિંગ- છે. જેમાં ઉત્પાદન, સેવાઓ, ગ્રામીણ, બિન-ખેતી, શહેરી, નવીનીકરણીય ઉર્જા અને પરિપત્ર અર્થતંત્ર એમ છ મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
Site Admin | ડિસેમ્બર 15, 2024 2:28 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મુખ્યસચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદને સંબોધશે
