પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીમાં સર્વોચ્ચ અદાલત ખાતે બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. શ્રી મોદી આ પ્રસંગે સભાને સંબોધન કરશે. પ્રધાનમંત્રી ભારતીય ન્યાયતંત્રનો વાર્ષિક અહેવાલ 2023-24 પણ બહાર પાડશે.
આ પ્રસંગે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને સર્વોચ્ચ અદાલતના અન્ય ન્યાયાધીશો હાજર રહેશે. આ કાર્યક્રમનું આયોજન સર્વોચ્ચ અદાલત દ્વારા કરવામાં આવ્યું છે.
Site Admin | નવેમ્બર 26, 2024 9:38 એ એમ (AM) | બંધારણ દિવસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીમાં સર્વોચ્ચ અદાલત ખાતે બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે
