ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 13, 2024 7:16 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારનાં દરભંગા ખાતેથી અમદાવાદના ચાંદલોડિયા રેલવે સ્ટેશન સહિતના દેશનાં વિવિધ રેલવે સ્ટેશનો પર 18 ભારતીય જનઔષધિ કેન્દ્રોનું ઉદઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારનાં દરભંગા ખાતેથી અમદાવાદના ચાંદલોડિયા રેલવે સ્ટેશન સહિતના દેશનાં વિવિધ રેલવે સ્ટેશનો પર 18 ભારતીય જનઔષધિ કેન્દ્રોનું ઉદઘાટન કર્યું. રેલવેમાં મુસાફરી કરતાં મુસાફરોને રાહતદરે આ જનઔષધિ કેન્દ્ર ઉપરથી દવાઓ ઉપલબ્ધ થશે.
અમદાવાદના ચાંદલોડિયા રેલવે સ્ટેશન ખાતે આ પ્રસંગે સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ અને અમદાવાદના મેયર ઉપસ્થિત રહ્યા હતા. અને રાજકોટ રેલવે સ્ટેશન ખાતે જન ઔષધિ કેન્દ્રનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યુ હતું. દસ લાખ કરતાંવધુ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રાજકોટ રેલવે સ્ટેશન ઉપરના આ જનઔષધિ કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે રાજકોટના સાંસદ પરષોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે આ સેવાને કારણે રેલવેમાં મુસાફરી કરતાં મુસાફરોને સસ્તા દરે દવાઓ ઉપલબ્ધ થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ