ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 5, 2024 9:38 એ એમ (AM) | પ્રધાનમંત્રી

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાની નિંદા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાની નિંદા કરી છે. શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે ભારતીય નેતાઓને ધમકાવવાનો પ્રયાસ પણ કાયરતા પૂર્વકનું વર્તન છે. તેમણે કહ્યું કે હિંસાની આવી ઘટનાઓ દેશનો સંકલ્પ નબળો ન કરી શકે. પ્રધાનમંત્રીએ કેનેડા સરકારને આ મામલે ન્યાય સુનિશ્ચિત કરવા માટે કહ્યું.