ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28મી જુલાઇએ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28મી જુલાઇએ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી દ્વારા હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં,શ્રી મોદીએ લોકોને વિવિધ વિષયો પર પોતાના વિચારોઅથવા સૂચનો 26મી તારીખ સુધીમાં MyGov ઓપન ફોરમ,નમો એપ પર સૂચનો લખવા અથવા ટોલ ફ્રી નંબર1800-11-7800 ઉપર સંદેશાઓ રેકોર્ડ કરવા માટે આહ્વાન કર્યું છે.મન કી બાત કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઈટ અને ન્યૂઝ એર મોબાઈલ એપ પર પ્રસારિત કરાશે. આકાશવાણી ન્યૂઝ,ડીડી ન્યૂઝ,પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પરથી તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.