આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતા નગર ખાતે ૨૮૪ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે નવા આકર્ષણ કેન્દ્રોની સાથે પ્રવાસનના વિકાસને પ્રોત્સાહન આપતા વિવિધ પ્રકલ્પોની અનાવરણ કર્યું, જે સ્ટેચ્યૂ ઑફ યુનિટીને વૈશ્વિક ઓળખ અપાવશે. સાથે જ એકતાનગર ખાતે આવતા પ્રવાસીઓને વૈશ્વિક કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ થશે.
પ્રધાનમંત્રીએ જે વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું તેમાં બોન્સાઈ ગાર્ડન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સરદાર સરોવર ડેમ એક્સપીરિયન્સ સેન્ટર જેવા મહત્વાકાંક્ષી પ્રકલ્પો સામેલ છે. આ ઉપરાંત 22 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી સબ ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલ, જેમાં ટ્રોમા સેન્ટર, સિટી સ્કેન, ICU ઓન વ્હીલ્સ સેવાઓ ઉપલબ્ધ છે.
આ ઉપરાંત એકતા નગર ખાતે 10 સ્માર્ટ બસ સ્ટોપ અને 10 પિક-અપ સ્ટેન્ડ સહિતની સેવાઓના પ્રથમ તબક્કા ઉપરાંત, ૨૩ કરોડ ૨૬ લાખ રૂપિયાના ખર્ચે ૪ મેગાવોટ ક્ષમતાના સોલાર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું.
Site Admin | ઓક્ટોબર 31, 2024 9:15 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતા નગર ખાતે ૨૮૪ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું
