ઓક્ટોબર 19, 2024 7:37 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે. તેઓ તેમના મતવિસ્તારમાં આશરે. 66 અબજ રૂપિયાની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ કરશે.  પ્રધાનમંત્રી આ દરમિયાન જાહેર સભાઓને પણ સંબોધિત કરશે. તેમની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. વારાણસીના પોલીસ કમિશનર મોહિત અગ્રવાલે કહ્યું કે, પ્રધાનમંત્રીના દરેક રૂટ પર ડ્રોનથી દેખરેખની વ્યવસ્થા કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.