પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાઓસની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. વીયંગચાનમાં ભારતીય મુળનાં લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાઓસની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. વીયંગચાનમાં ભારતીય મુળનાં લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. શ્રી મોદી 21મી આસિયાન – ભારત શિખર પરિષદ અને 19મી પૂર્વ એશિયા શિખર પરિષદમાં ભાગ લેશ. વિદેશ મંત્રાલયના સચિવ જયદીપ મઝૂમદારે ગઈકાલે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, લાઓસના પ્રધાનમંત્રીના સોનેક્સાય સિફાન્ડોનના આમંત્રણથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાઓસ જવાના છે.
લાઓસની મુલાકાત દરમિયાન શ્રી મોદી આસિયાન દેશોના વડાઓ સાથે પ્રાદેશિક અને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.