પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટોની ઈ-હરાજીની તારીખ 31 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. તે અગાઉ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સુનિશ્ચિત કરાઇ હતી. આ વર્ષની આ છઠ્ઠી હરાજી છે. સરકારે લોકોને ઈ-હરાજીમાં ભાગ લેવા વિનંતી કરી છે કારણ કે તે નમામી ગંગે ફાળામાં યોગદાન આપીને એક ઉમદા કાર્ય કરશે.
આ પ્રક્રિયામાં ભાગલેવા ઇચ્છુક વ્યક્તિઓ સત્તાવાર વેબસાઇટ https://pmmementos.gov.in દ્વારા નોંધણી કરીને તેમાં ભાગ લઈ શકે છે. હરાજી માટે લગભગ છસો સ્મૃતિચિહ્નો પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જેમાં વિશિષ્ટ કલાકૃતિઓ, મંદિરોના ઘડતરના નમૂનાઓ, હિન્દુ દેવી -દેવતાઓ અને પેરાલિમ્પિયન્સના જૂતાનો સમાવેશ થાય છે.
Site Admin | ઓક્ટોબર 3, 2024 3:41 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટોની ઈ-હરાજીની તારીખ 31 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી
