સપ્ટેમ્બર 16, 2024 8:57 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે ગુજરાતના ગાંધીનગરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાઈ ગઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે ગુજરાતના ગાંધીનગરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાઈ ગઈ. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો કે, તેમણે તીર્થયાત્રીઓના અનુભવને વધુ સારો બનાવવા અને વિવિધ સુવિધાઓને હજી સુધારવા અંગે સમીક્ષા કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે સૌપ્રથમ ગુજરાતના અમદાવાદ અને ત્યાંથી તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા. ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ અનેક કેન્દ્રિત યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમ જ બેઠકમાં પણ ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.