પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં વિવિધ વિષય પર પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિઓ કાર્યક્રમની આ 130મી કડી હશે. હિન્દીમાં “મન કી બાત”ના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે.
આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નૅટવર્ક, આકાશવાણી સમાચારની વૅબસાઇટ અને ન્યૂઝ ઑન A.I.R, મૉબાઇલ ઍપ્લિકેશન પર પણ પ્રસારિત કરાશે. તેમજ આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય – PMO તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ-ટ્યુબ ચૅનલ પર પણ “મન કી બાત” કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે.
ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્ર પરથી “મન કી બાત” કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે.
Site Admin | જાન્યુઆરી 24, 2026 7:35 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે.