પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ત્રણ દિવસના પ્રવાસે ગુજરાત આવશે. તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી સોમનાથ સ્વાભિમાન પર્વ સહિત અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.સોમનાથ મંદિરની અતૂટ ભાવનાની ઉજવણી કરતો ચાર દિવસીય સોમનાથ સ્વાભિમાન પર્વ ગુરુવારે ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠાના શહેર વેરાવળમાં શરૂ થયો હતો. આ ઉત્સવ ૧૦૨૬માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર હુમલો કર્યાના એક હજાર વર્ષ અને ૧૯૫૧માં સ્વતંત્રતા પછી તેના પુનર્નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થયાની યાદમાં ઉજવવામાં આવે છે. અમારા સંવાદદાતા અહેવાલમાં જણાવે છે કે પવિત્ર શહેર પ્રભાસ પાટણ આ ઐતિહાસિક પ્રસંગે પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવા માટે તૈયાર છે.
Site Admin | જાન્યુઆરી 10, 2026 3:36 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ત્રણ દિવસના પ્રવાસે ગુજરાત આવશે