પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના રાય પિથોરા સાંસ્કૃતિક સંકુલમાં ભગવાન બુદ્ધના પવિત્ર પિપ્રાહવા અવશેષોના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પ્રદર્શનના વિવિધ વિભાગોની મુલાકાત લઈને આ પ્રદર્શનની સૂચિનું પણ અનાવરણ કર્યું.
આ પ્રસંગે સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, લાંબા સમય સુધી રાહ જોયા પછી, દેશનો વારસો પાછો ફર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે, આજથી, દેશના લોકો ભગવાન બુદ્ધના આ પવિત્ર અવશેષોના પવિત્ર દર્શન કરી શકશે અને તેમના દિવ્ય આશીર્વાદ મેળવી શકશે.
સતત સરકારી પ્રયાસો, સંસ્થાઓ સાથેના સહયોગ અને જાહેર-ખાનગી ભાગીદારીના પરિણામે આ અવશેષો તાજેતરમાં સ્વદેશ પરત લવાયા છે.
Site Admin | જાન્યુઆરી 3, 2026 1:55 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભગવાન બુદ્ધના પવિત્ર પિપ્રાહવા અવશેષોના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું