પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં FIDE રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક જીત્યા બાદ દોહામાં FIDE વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અર્જુન એરિગૈસીને અભિનંદન પાઠવ્યા છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે અર્જુનની કુશળતા, ધીરજ અને જુસ્સો અનુકરણીય છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સફળતાઓ યુવાનોને પ્રેરણા આપતી રહેશે.
Site Admin | ડિસેમ્બર 31, 2025 2:33 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દોહામાં આયોજિત FIDE વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અર્જુન એરિગૈસીને અભિનંદન પાઠવ્યા