પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ઐતિહાસિક દરિયાકાંઠાના શહેર પોરબંદરથી ઓમાનના મસ્કત સુધીની INSV કૌંડિન્યાની પ્રથમ સફર પર ખુશી વ્યક્ત કરી.
સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ ચાલક દળને સલામત અને યાદગાર યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે આ જહાજ પ્રાચીન ભારતીય સિલાઇ-જહાજ તકનીકનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે, જે દેશની સમૃદ્ધ દરિયાઈ પરંપરાઓને ઉજાગર કરે છે.
પ્રધાનમંત્રીએ આ અનોખા જહાજને જીવંત બનાવવા માટે તેમના સમર્પિત પ્રયાસો બદલ ડિઝાઇનર્સ, કારીગરો, જહાજ નિર્માતાઓ અને નૌકાદળને અભિનંદન આપ્યા.
Site Admin | ડિસેમ્બર 29, 2025 7:55 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના પોરબંદરથી ઓમાનના મસ્કત સુધીની INSV કૌંડિન્યાની પ્રથમ યાત્રા પર ખુશી વ્યક્ત કરી