પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ‘વીર બાલ દિવસ’ નિમિત્તે રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને સંબોધિત કરશે.આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કારના વિજેતાઓ પણ હાજર રહેશે. શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના નાના પુત્રો – બાબા જોરાવર સિંહજી અને બાબા ફતેહ સિંહજી – સાહિબઝાદોની બહાદુરી અને બલિદાનને માન આપવા માટે ‘વીર બાલ દિવસ’ ઉજવવામાં આવે છે. નાની ઉંમરે તેમની શહાદત ભારતના ઇતિહાસના સૌથી કરુણ પ્રકરણોમાંનો એક છે, જે જુલમનો સામનો કરવા માટે અતૂટ હિંમતનું પ્રતીક છે. વાર્ષિક ઉજવણીની જાહેરાત શ્રી મોદીએ સૌપ્રથમ જાન્યુઆરી 2022માં ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પર્વ દરમિયાન કરી હતી.
Site Admin | ડિસેમ્બર 26, 2025 8:12 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત મંડપમ ખાતે ‘વીર બાલ દિવસ’ના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લેશે – સભાને સંબોધિત કરશે