પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૩૦ નવેમ્બરે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમમી 128મી કડી હશે. લોકો ટોલ-ફ્રી નંબર 1800-11-7800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે.આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા MyGov ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય શેર કરી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો આપી શકે છે. લોકો 28 નવેમ્બર સુધી સૂચનો મોકલી શકશે.
Site Admin | નવેમ્બર 21, 2025 9:14 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૩૦ નવેમ્બરે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે