સપ્ટેમ્બર 11, 2024 2:04 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રીન હાઇડ્રોજન પરની આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધતા જણાવ્યું કે, આબોહવા પરિવર્તન અને ઊર્જા સંક્રમણ એ વૈશ્વિક ચિંતાનો વિષય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાર મૂકતાં કહ્યું કે, આબોહવા પરિવર્તન અને ઊર્જા સંક્રમણ એ વૈશ્વિક ચિંતાનો વિષય છે અને ડીકાર્બોનાઇઝેશન પર ગ્રીન હાઇડ્રોજનની અસરને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારી મહત્વપૂર્ણ છે.
વર્ચ્યુઅલ રીતે ગ્રીન હાઇડ્રોજન પરની આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધતા, શ્રી મોદીએ પ્રકાશ પાડ્યો કે ઉત્પાદનમાં વધારો, ખર્ચમાં ઘટાડો અને માળખાકીય સુવિધાઓનું નિર્માણ સહકાર દ્વારા ઝડપથી પ્રગતિ કરી શકે છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે આબોહવા પરિવર્તન એ માત્ર ભવિષ્યની બાબત નથી કારણ કે તેની અસર અત્યારે અનુભવાઈ રહી છે.
ભારત સ્વચ્છ અને હરિયાળો દેશ બનાવવા માટે પ્રતિબદ્ધ છે તે વાત પર ધ્યાન દોરતા શ્રી મોદીએ કહ્યું કે G20 દેશોમાં ગ્રીન એનર્જી અંગે પેરિસની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરનાર દેશ પ્રથમ છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે આ પ્રતિબદ્ધતાઓ 2030ના લક્ષ્યાંક કરતાં નવ વર્ષ પહેલાં પૂરી કરવામાં આવી હતી.
શ્રી મોદીએ એ પણ રૂપરેખા આપી હતી કે ભારતની બિન-અશ્મિભૂત ઇંધણ ક્ષમતા છેલ્લા દસ વર્ષમાં લગભગ 300 ટકા વધી છે, અને તે જ સમયગાળા દરમિયાન દેશની સૌર ઊર્જા ક્ષમતામાં 3,000 ટકાથી વધુનો વધારો થયો છે.
ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન, ઉપયોગ અને નિકાસ માટે સરકાર ભારતને વૈશ્વિક હબ બનાવવા માંગે છે તેના પર ભાર મૂકતા શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન નવીનતા, માળખાકીય સુવિધા, ઉદ્યોગ અને રોકાણને પ્રોત્સાહન આપી રહ્યું છે. તેમણે નોંધ્યું હતું કે દેશ અદ્યતન સંશોધન અને વિકાસમાં રોકાણ કરી રહ્યું છે. ઉદ્યોગ અને શિક્ષણવિભાગ વચ્ચે ભાગીદારી રચાઈ રહી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.