નવેમ્બર 13, 2025 1:50 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂર કરેલી નિકાસકારો માટેની ક્રેડિટ ગેરંટી યોજના વૈશ્વિક સ્પર્ધાત્મકતાને વેગ આપશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ગઈકાલે કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂર કરેલી નિકાસકારો માટેની ક્રેડિટ ગેરંટી યોજના વૈશ્વિક સ્પર્ધાત્મકતાને વેગ આપશે, સરળ વ્યાપારિક કામગીરી સુનિશ્ચિત કરશે અને ભારતને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવામાં મદદ કરશે. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ કેન્દ્રીય મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની પ્રશંસા કરી.
તેમણે ઉમેર્યું કે નિકાસ પ્રમોશન મિશન-EPM નિકાસ સ્પર્ધાત્મકતામાં સુધારો કરશે, MSME, પ્રથમ વખત નિકાસકારો અને શ્રમ-સઘન ક્ષેત્રોને મદદ કરશે. શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો કે EPM મુખ્ય હિસ્સેદારોને એક એવી પદ્ધતિ બનાવવા માટે એકસાથે લાવે છે જે પરિણામ આધારિત અને અસરકારક હોય.
તેમણે કહ્યું, મહત્વપૂર્ણ ખનિજો માટે રોયલ્ટી દરોને તર્કસંગત બનાવવાનો કેન્દ્રીય મંત્રીમંડળનો નિર્ણય ટકાઉપણું અને આત્મનિર્ભરતાને વેગ આપશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.