ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 31, 2025 7:56 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને એક થઈને રાષ્ટ્રના વિકાસ માટે પોતાને સમર્પિત કરવા અપીલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને એક થઈને રાષ્ટ્રના વિકાસ માટે પોતાને સમર્પિત કરવા અપીલ કરી છે. શ્રી મોદીએ કહ્યું, તેનાથી વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150-મી જન્મજયંતી નિમિત્તે આજે નર્મદાના એકતાનગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહનાં વિશાળ જનસભાને સંબોધતાં શ્રી મોદીએ કહ્યું, વર્ષ 2014થી સરકારે નક્લસવાદ અને માઓવાદી આતંકવાદ પર એક નિર્ણાયક પ્રહાર કર્યો છે.

પ્રધાનમંત્રીએ કરોડો લોકો દ્વારા લેવાયેલી એકતાની શપથમાં દેશવ્યાપી ભાગીદારી અંગે કહ્યું, તેનાથી રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાના સામૂહિક સંકલ્પની પુષ્ટી થઈ છે. દેશની આઝાદી બાદ સરદાર પટેલે 550થી વધુ રજવાડાઓને એક કરીને “એક ભારત – શ્રેષ્ઠ ભારત”ના દ્રષ્ટિકોણને સાકાર કરીને અશક્ય કામ કરી બતાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ દેશની ભાષાકીય વિવિધતાની પ્રશંસા કરી અને તેને ભારતની સૌથી મોટી શક્તિ ગણાવી. ભાષાઓને એકતાનું પ્રતીક ગણાવતા શ્રી મોદીએ તમામ ભારતીય ભાષાઓના પ્રચાર અને સંરક્ષણ માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
પ્રધાનમંત્રીએ પ્રત્યેક નાગરિકને એકતાને રાષ્ટ્રીય શક્તિનો મંત્ર બનાવવા અને સરદાર પટેલના દ્રષ્ટિકોણને યાદ કરવા તથા એક સશક્ત, વિકસિત અને અખંડ ભારત માટે સાથે મળીને કામ કરવા આગ્રહ કર્યો.

પ્રધાનમંત્રીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દિવસનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે શ્રી મોદીએ લોકોને એકતા દિવસની શપથ પણ લેવડાવી.

પ્રધાનમંત્રીએ ભવ્ય એકતા દિવસ પરેડનું પણ નિરીક્ષણ કર્યું, જેમાં સરહદ સુરક્ષા દળ – BSF, કેન્દ્રીય અનામત પોલીસ દળ – CRPF અને વિવિધ રાજ્ય પોલીસ દળોની ટુકડીએ “અનેકતામાં એક”ની વિષયવસ્તુને દર્શાવતી 10 જીવંત ઝાંખીઓ પ્રસ્તુત કરવામાં આવી. આ ઉપરાંત ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત સૂર્યકિરણ ટીમે ભવ્ય ઍર શૉ દ્વારા આકાશમાં ત્રિરંગાના શૌર્ય અને સાહસનું પ્રદર્શન કર્યું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.