પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી રાજ્યની બે દિવસની મુલાકાતે આવશે. શ્રી મોદી સાંજે એકતાનગરમાં એક હજાર 140 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમજ 25 ઇલેક્ટ્રિક બસને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આવતીકાલે તેઓ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે સ્ટૅચ્યૂ ઑફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે, અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ત્યારબાદ, શ્રી મોદી આરંભ 7.0 અંતર્ગત 100માં કૉમન ફાઉન્ડૅશન કૉર્સના અધિકારી તાલીમાર્થીઓ સાથે સંવાદ કરશે.
આજે સાંજે શરૂ થઈ રહેલા વિવિધ વિકાસકાર્યો થકી એકતાનગર પરિસરમાં ઇકો-ટૂરિઝમ, હરિત પરિવહન, આધુનિક માળખાકીય સુવિધા અને આદિવાસી વિકાસને પ્રોત્સાહન મળશે. વધુ માહિતી અમારાં સંવાદદાતા પાસેથી.
આજે ઉદ્ઘાટન થનારા પ્રોજેક્ટ્સમાં રાજપીપળામાં બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટીનો શુભારંભ ; ગરુડેશ્વરમાં હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટના પ્રથમ તબક્કાનું લોકાર્પણ , વામન વૃક્ષ વાટિકા; સાતપુડા પ્રોટેક્શન વોલ; ઇ-બસ ચાર્જિંગ ડેપો, નર્મદા ઘાટ વિસ્તાર ; કૌશલ્યા પથના લોકાર્પણ સહિતના પ્રોજેક્ક્સ સામેલ છે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી 367 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર ભારતના રજવાડાઓના સંગ્રહાલય; સહિત વીર બાલક ઉદ્યાન; રમતગમત સંકુલ; વર્ષા વન પ્રોજેક્ટ; શૂલપાણેશ્વર ઘાટ નજીક જેટી વિકાસ; સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રાવલેટર્સ સહિત વિભિન્ન પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરશે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એક ખાસ સ્મારક સિક્કાનું અને ટપાલ ટિકિટનું પણ અનાવરણ કરશે. આવતીકાલે શ્રી મોદી એકતા દિવસની ઉજવણી અંતર્ગત એકતા દિવસની પ્રતિજ્ઞા લેવડાવશે અને એકતા દિવસ પરેડનું નિરીક્ષણ કરશે.આ વખતે યોજનારી એકતા દિવસ પરેડમાં બી એસ એફ, સી આઈ સે એફ આઈ ટી બી પી સહિતના સુરક્ષા દળો ઉપરાંત નવ રાજ્યો પણ ભાગ લેશે રાજયોની સિદ્ધિઓ દર્શાવતા 10 ટેબલોઝ રજૂ કરાશે
Site Admin | ઓક્ટોબર 30, 2025 6:39 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી રાજ્યની બે દિવસની મુલાકાતે આવશે. શ્રી મોદી સાંજે એકતાનગરમાં એક હજાર 140 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે