ઓક્ટોબર 23, 2025 2:10 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમ હેઠળ ભાજપ-NDAના કાર્યકરો સાથે વર્ચ્યુઅલી સંવાદ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગ્યે ‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમ હેઠળ ભાજપ-NDAના કાર્યકરો સાથે વર્ચ્યુઅલી સંવાદ કરશે. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ ભાર મૂક્યો કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-NDAના વિજયને સુનિશ્ચિત કરવા માટે ભાજપ- NDAના કાર્યકરો અભૂતપૂર્વ ઊર્જા અને સમર્પણ સાથે મેદાનમાં અડગ છે. તેમણે કહ્યું, જાહેર સંપર્ક અને સંવાદથી લઈને સંગઠનના દરેક સ્તરે તેમની ભાગીદારી NDAની સૌથી મોટી તાકાત છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.