નવેમ્બર 25, 2025 8:09 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી આવતીકાલે બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને બંને ગૃહોના સાંસદો હાજર રહેશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કાર્યક્રમનું નેતૃત્વ કરશે અને બંધારણની પ્રસ્તાવના વાંચશે. વધુમાં, બંધારણના અનુવાદિત સંસ્કરણો નવ ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવશે, જેમાં મલયાલમ, મરાઠી, નેપાળી, પંજાબી, બોડો, કાશ્મીરી, તેલુગુ, ઉડિયા અને આસામીનો સમાવેશ થાય છે. આ પ્રસંગે એક સ્મારક પુસ્તિકા પણ પ્રકાશિત કરવામાં આવશે. બંધારણ 26 નવેમ્બર, 1949 ના રોજ અપનાવવામાં આવ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.