પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે 5 હજાર 536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે. જેમ નાગરિકોની આરોગ્ય સુખાકારી વધારતા અંદાજે 672 કરોડના આરોગ્ય પ્રકલ્પોની ભેટ મળશે. શ્રી મોદી અમદાવાદ સિવિલ મેડિસીટીમાં 588 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 1800 બેડની હોસ્પિટલનું ઇ-ખાતમુહૂર્ત પણ કરશે. દરમિયાન શ્રી મોદી 84 કરોડના ખર્ચે તૈયાર થયેલ યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના ગાંધીનગર ખાતેના સેટેલાઇટ સેન્ટરનું ઇ-લોકાર્પણ કરશે.
પ્રધાનમંત્રી રાજભવનથી મહાત્મા મંદિર સુધી રોડ શો પણ યોજશે.
Site Admin | મે 26, 2025 7:38 પી એમ(PM)
પ્રધાનમંત્રી આવતીકાલે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે 5 હજાર 536 કરોડના વિકાસકામોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે.
