પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઉત્તર પ્રદેશના વારાણસીમાં બે હજાર 200 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી નવ કરોડ 70 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં પીએમ કિશાન યોજનાનો 20મો હપ્તો પણ જમા કરશે.
પર્યટન ક્ષેત્રને વેગ આપવા માટે, શ્રી મોદી આઠ નદી કિનારાના કુચ્ચા ઘાટના પુનર્વિકાસ, કાલિકા ધામ ખાતે વિકાસ કાર્યો અને દુર્ગાકુંડના પુનઃસ્થાપન અને જળ શુદ્ધિકરણનું ઉદ્ઘાટન કરશે.
કંચનપુરમાં શહેરી મિયાવાકી વનના વિકાસ, શહીદ ઉદ્યાન અને 21 અન્ય ઉદ્યાનોના પુનર્વિકાસ માટે પણ શિલાન્યાસ તેમજ ગ્રામીણ વિસ્તારમાં પ્રધાનમંત્રી જળ જીવન મિશન હેઠળ 47 ગ્રામીણ પીવાના પાણીની યોજનાઓનું ઉદ્ઘાટન પણ કરશે. પ્રધાનમંત્રી 53 શાળા ઇમારતોના અપગ્રેડેશનનું ઉદ્ઘાટન કરશે.
શ્રી મોદી મહામના પંડિત મદન મોહન માલવિયા કેન્સર સેન્ટર અને હોમી ભાભા કેન્સર હોસ્પિટલમાં અનેક સુવિધાઓ સાથે તેઓ હોમિયોપેથિક કોલેજ અને હોસ્પિટલનો શિલાન્યાસ પણ કરશે.
પ્રધાનમંત્રી ડૉ. ભીમરાવ આંબેડકર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે સિન્થેટિક હોકી ટર્ફનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી દિવ્યાંગજન અને વૃદ્ધ લાભાર્થીઓને સાત હજાર 400 થી વધુ સહાયક સહાયનું પણ વિતરણ કરશે.
Site Admin | ઓગસ્ટ 1, 2025 8:56 એ એમ (AM)
પ્રધાનમંત્રી આવતીકાલે ઉત્તર પ્રદેશમાં વિવિધ વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અને પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો પણ જમા કરશે.
