પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના સિંગુર ખાતે લગભગ 830 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ બાલાગઢ ખાતે વિસ્તૃત પોર્ટ ગેટ સિસ્ટમનો શિલાન્યાસ કરશે.
આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ભારે કાર્ગો અવરજવરને ભીડવાળા શહેરી કોરિડોરથી દૂર કરીને કાર્ગો ખાલી કરાવવાની કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો કરવાનો છે. આનાથી કોલકાતા શહેરમાં માર્ગ સલામતી વધશે અને પ્રદૂષણ ઘટશે.
પ્રધાનમંત્રી જયરામબાતી-બરોગોપીનાથપુર-મયનાપુર નવી રેલ લાઇનનું ઉદ્ઘાટન કરશે અને ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે. જેમાં હાવડા – આનંદ વિહાર ટર્મિનલ એક્સપ્રેસ, સિયાલદહ-બનારસ એક્સપ્રેસ અને સંતરાગાછી – તાંબરમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ થાય છે.
Site Admin | જાન્યુઆરી 18, 2026 3:24 પી એમ(PM)
પ્રધાનમંત્રી આજે પશ્ચિમ બંગાળમાં 830 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે – ત્રણ નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપશે