ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 26, 2025 10:41 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રીએ કહ્યું, ગરીબોનું જીવન સરળ બનાવવું એ સરકારની ટોચની પ્રાથમિકતા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતો, પશુપાલકો અને નાના ઉદ્યમીઓના હિતને દેશ માટે સર્વોપરી ગણાવ્યું. તેમણે કહ્યું, કોઈ પણ દબાણમાં આ સમૂહને કોઈ નુકસાન નહીં થવા દઈએ. ગઈકાલે અમદાવાદના નિકોલ વિસ્તારમાં ખોડલધામ મેદાનમાં અંદાજે પાંચ હજાર 400 કરોડથી વધુની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ જનસભા સંબોધતા આ વાત કહી.
પ્રધાનમંત્રીએ સરકાર સમાજના દરેક વર્ગ માટે ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત કરવા માટે સમર્પિત હોવાનું આશ્વાસન આપ્યું. તેમણે કહ્યું, શહેરી ગરીબોનું જીવન સરળ બનાવવું એ સરકારની ટોચની પ્રાથમિકતા છે.
દરમિયાન શ્રી મોદીએ લોકોને ભારતમાં બનેલી ચીજવસ્તુઓને પ્રાથમિકતા આપવાનો આગ્રહ કર્યો અને ઉત્પાદકોને પણ ઉત્પાદનની ગુણવત્તા સુધારવા અપીલ કરી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.