પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત પરનાં કોઈપણ હુમલાનો કડક જવાબ આપવામાં આવશે અને આતંકવાદીઓ અને ગુનેગારોને છોડવામાં આવશે નહીં. શ્રી મોદીએ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા એક સમાચાર દૈનિક માટે લખાયેલ લેખને શેર કરતી વખતે આ વાત કહી, જેમાં સરહદ પાર આતંકવાદ પ્રત્યે ભારતના શૂન્ય-સહિષ્ણુતાના વલણને પુનઃપુષ્ટિ આપવામાં આવી છે. તેમના લેખમાં, સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પ્રત્યે શૂન્ય-સહિષ્ણુતાના ભારતના વલણને રજૂ કર્યું અને તેની સામે બદલો લેવાની ખાતરી આપી. શ્રી સિંહે ભાર મૂક્યો કે વાતચીત અને આતંકવાદ સાથે સાથે ચાલી શકે નહીં. તેમણે વધુમાં ઉમેર્યું કે આતંકવાદ ફક્ત ભારતીય સમસ્યા નથી; તે એક વૈશ્વિક સમસ્યા છે.
Site Admin | જૂન 7, 2025 8:13 પી એમ(PM)
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત પરના કોઈપણ હુમલાનો કડક જવાબ આપવામાં આવશે.
