ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 12, 2025 7:08 પી એમ(PM)

printer

પ્રથમ રાજ્યસ્તરીય સંસ્કૃત સપ્તાહ મહોત્સવ આજે ગાંધીનગરમાં સંપન્ન

પ્રથમ રાજ્યસ્તરીય સંસ્કૃત સપ્તાહ મહોત્સવ આજે ગાંધીનગર ખાતે સંપન્ન થયો. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ટાઉનહોલ ખાતે યોજાયેલા સમાપન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યુ, સંસ્કૃત એ માત્ર ભાષા નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિનું પ્રાણતત્વ છે. તેમણે પ્રાચીન ભારતીય સમાજની શિક્ષણની વ્યાપકતા પર પણ પ્રકાશ પાડ્યો.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું કે, સંસ્કૃત સાહિત્યના માધ્યમથી જ્ઞાન- વિજ્ઞાન અને રાષ્ટ્રને મજબૂત બનાવે છે. કાર્યક્રમમાં રાજ્યપાલના હસ્તે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની વેબસાઈટનું પણ વિમોચન કરાયું હતું.