ભારતીય સંસ્કૃતિના રાષ્ટ્રીય સ્વાભિમાન અને અજેય આસ્થાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં “સોમનાથ સ્વાભિમાન પર્વ”ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા સોમનાથના આંગણે પધારી રહ્યા છે, ત્યારે પોરબંદરના જાણીતા ઇતિહાસવિદ્દ નરોતમભાઈ પલાણે આ ગૌરવશાળી ઇતિહાસના પૃષ્ઠો ખોલીને પોરબંદરના અપ્રતિમ યોગદાનના સંસ્મરણો વાગોળ્યા છે.પ્રખ્યાત ઈતિહાસવિદ્દ શ્રી નરોતમભાઈ પલાણે જણાવ્યું હતું કે, જાન્યુઆરી ૧૦૨૬માં મહેમુદ ગઝનવી દ્વારા સોમનાથ મંદિર પર આક્રમણ કરવામાં આવ્યું હતુ. આ ઘટનાને જાન્યુઆરી ૨૦૨૬માં બરાબર ૧૦૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ઇતિહાસકારો આ તારીખ ૬ જાન્યુઆરી હોવાનું જણાવે છે.
Site Admin | જાન્યુઆરી 10, 2026 3:24 પી એમ(PM)
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી