જુલાઇ 16, 2025 10:27 એ એમ (AM)

printer

પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સત્યજીત રેની પૈતૃક મિલકત તોડી પાડવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા બાંગ્લાદેશને ભારતની અપીલ

ભારત સરકારે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સત્યજીત રેની પૈતૃક મિલકત તોડી પાડવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા બાંગ્લાદેશને હાકલ કરી છે. ભારતે પણ આ પ્રતિષ્ઠિત ઇમારતને જાળવવામાં મદદનો પ્રસ્તાવ મુક્યો છે બંગાળી સાંસ્કૃતિક પુનરુજ્જીવનનું પ્રતીક છે. મૈમનસિંઘમાં આ ઐતિહાસિક ઇમારત તોડી પાડવાના પગલાને ગંભીર દુઃખની બાબત ગણાવીને, ભારતે બાંગ્લાદેશને આ ઇમારત બંને દેશોની સહિયારી સંસ્કૃતિનું પ્રતીક કરતા સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવા અનુરોધ કર્યો છે.
આ પ્રતિષ્ઠિત અને ઐતિહાસિક ઇમારત સત્યજીત રેના દાદા અને પ્રખ્યાત સાહિત્યકાર ઉપેન્દ્ર કિશોર રે ચૌધરીની હતી. હાલમાં બાંગ્લાદેશ સરકારની માલિકીની મિલકત જર્જરિત હાલતમાં છે. બાંગ્લાદેશી અધિકારીઓ દ્વારા આ ઇમારત તોડી પાડવામાં આવનાર હોવાના અહેવાલો બાદ વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા આવી છે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.