ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 25, 2025 7:44 પી એમ(PM) | કુબેર ડીંડોર

printer

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં મેનેજમેન્ટ ક્વોટાના વિદ્યાર્થીઓને કોઈ અસર ન થવાની શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે ખાતરી આપી 

રાજ્યના આદિજાતિ મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું કે પોસ્ટ મેટ્રિકશિષ્યવૃત્તિ યોજના અંતર્ગત છેલ્લાં ત્રણ વર્ષમાં અનુસૂચિત જનજાતિના 6 લાખ 83હજારથી વધુ વિદ્યાર્થીઓને 1 હજાર 465 કરોડ રૂપિયાથી વધુની શિષ્યવૃત્તિ અપાઈ છે.વિધાનસભામાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાબંધ કરવા અંગેના પ્રશ્નનો જવાબ  આપતાં ડીંડોરે આમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે વર્ષ 2022-23 તથા2023-24માં મેનેજમેન્ટ ક્વોટા હેઠળ આ યોજનાનો લાભ મેળવનારા વિદ્યાર્થીઓના અભ્યાસને કોઈ પણ પ્રકારની અસર થશે નહીં.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ